Friday, January 25, 2019

શું છે ગણતંત્ર દિવસ?

આજે દુનિયાના સૌથી મોટા લોકતંત્રનો ભવ્ય દિવસની ઉજવણી. 
એ દેશ જ્યાં કોઈ એક વ્યક્તિ માત્ર શાસન નથી કરતું,
તેમજ કોઈ એક પરિવારના હાથમાં જ નથી શાસનની કમાન,
જ્યાં કોઈ એક જાતિ કે ધર્મને નામે શાસન નથી કરવમાં આવતું,
કોઈ લિંગના આધાર પર કે ઉંમરના આધારે દેશનું નેતૃત્વ કરવામાં આવતું નથી,
દુનિયાનું એવું રાષ્ટ્ર જ્યાં આજે પણ ધર્મ અને આસ્થાનું સર્વોચય સ્થાન પર છે,
જેમાં લોકો જ પોતાના ભાગ્યના ઉદયનો નિર્ણય લઈ શકે છે,
દુનિયાનું કોઈક પણ દેશ પરફેક્ટ નથી હોતું, તેનું નિર્માણ લોકોની તનતોડ મહેનતથી થાય છે.

દેશની સેના કોઈ પણ નિષ્પક્ષતા વગર રક્ષણ કરે છે, તે મહાન દેશના ગણતંત્ર દિવસ પર નવા ઉદય સાથે આગળ વધી રહ્યું છે. 

લોકો દેશ અને દેશના બંધારણની ટીકા કરે છે, પણ એ ન ભૂલવું જોઈએ કે કરોડો લોકોના વિચાર અલગ અલગ હોય શકે પણ દેશની એકતા જળવાઈ રહેવી જોઈએ. અને એકતા, સ્વતંત્રતા અને સમાનતાની જાળવણી આપણે જ કરવાની રહેશે. 

મને ગર્વ છે હું મહાન દેશનો દેશવાસી છું. 

1 comment:

  1. મને ભારતીય હોવા નો ગર્વ છે
    Well written

    ReplyDelete