દુનિયાના દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઈએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે કેમકે એક મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હૃદયમાં ગુંજતા ગીત ને જાણે છે, અને એ ગીતને ત્યારે યાદ કરાવે છે જ્યારે તમે ગીતના શબ્દો ભુલી જાઓ છો...
પણ જ્યારે મિત્ર તમારી અંગત વાત દુનિયા સામે જાહેર કરવા લાગે ત્યારે સમજી લેજો કે તમે મિત્ર નહીં પરંતુ એક દુશ્મનને સાથે રાખ્યો છે. જે માત્ર તમારી કમજોરીને તાકાત નહીં પરંતુ મજાક બનાવમાં વધુ રસ રાખે છે. એ ખરેખર યોગ્ય છે?
એક વાત સમજવા જેવી છે કે, ભલે સંબંધ મિત્રતાનો હોય તો પણ તકલીફ બેમાંથી કોઈ ને પણ થાય અસર જરૂરથી બંનેની લાગણીઓ પર થાય છે... અને એજ ખરી મિત્રતા
જો કે અંગત રીતે એવું માનવું છે કે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી સારો અથવા ક્યારેય સાથ ન છોડનાર મિત્ર એ એક પુસ્તક જ હોય છે. જે તમને દુઃખમાં તાકાત અને સુખમાં ધીરજ અને ધૈર્ય આપે છે. આ બંને જ જરૂરી છે. કેમકે અંધારો હોય તો અજવાળું થવાનું જ છે અને અજવાળું છે તો અંધારું થવાનું જ છે.
જો કે આ બંને જ સમયમાં ભલે તમારી સાથે ગમે તેટલા સારા મિત્ર હોય પણ અંતિમ લડાઈ તમારે એકલા એ જ લડવાની હોય છે. મિત્રતો માત્ર તમારી હિંમત જ હોય છે અને એ ઘણી વખત જીવનનું સૌથી મોટું પાસું બની જાય, નહીં...???