Monday, August 20, 2018
God's own country ની દુર્દશા માટે જવાબદાર કોણ?
Saturday, August 11, 2018
અમદાવાદમાં દબાણ હટાવો એક દુરદર્શીતા
હાલમાં અમદાવાદ શહેરમાં પોલીસ અને amc કમિશ્નર તરફથી શહેરના રસ્તાઓ પર રહેલા ગેરકાયદેસર બાંધકામને હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ સમયે બાળપણમાં નાનો હતો ત્યારે, આશરે 7 કે 8 વર્ષની ઉંમરમાં સુરતમાં આ પ્રક્રિયા ચાલી રહી હતી એ ઘટના યાદ આવી ગઈ છે.
વાત 1995 આસપાસની છે તે સમયે સુરતના વિવિધ સ્થાનો પર ડિમોલિશનની કામગીરી ચાલી હતી તેમાં પણ કહેવાતા રાજમાર્ગ એટલે કે ચોક ચાર રસ્તાથી ભાગળ ચાર રસ્તા સુધીના માર્ગ પર વિશેષ કામગીરી હતી. આ સ્થળો પર આવેલી દુકાનો પર દબાણ હટાવવા માટે તે સમયના સુરતના SMC કમિશ્નર એસ આર રાવ અને પોલીસ કમિશ્નર પી સી પાંડે દ્વારા જોરદાર કવાયત હાથ ધરવામાં આવી હતી. કામગીરી એટલી અદભુત હતી કે લોકો આ બંને જાંબાઝ ઓફિસરને જોવા માટે ડિમોલિશનના સ્થળો પર દોડી આવતાં હતા, હું પણ તેમનો એક હતો. તે સમયે ખબર નહીં હતી કે સુપર હીરો આજ લોકો છે, જે લોકોની તકલીફ દૂર કરવાનુ કામ કરે છે.
જો વાત કામગીરીની કરવામાં આવે તો આજના ખુબસુરત સુરતની પહેલી ઈંટ આ સમયગાળા દરમિયાન જ મુકવામાં આવી હતી. શહેરના લગભગ દરેક સ્થળો પર દબાણ હટાવવામાં આવ્યા હતા. શું મંદિર, શું મસ્જિદ કે શું શાળા કે મોટી પ્રખ્યાત હોટલ કે મોટા શૉરૂમ તમામને એક જ લાકડીએ હાંકી કાઢ્યા હતા અને શહેરના માર્ગો વિસ્તારવાનું કામ આબેહૂબ કર્યું હતું.
મને એક બે કિસ્સા યાદ છે જે કદાચ સુરતના ઘણાં લોકોને યાદ હશે જ કે સુરતના ભાગળ ચાર રસ્તા પર મુસ્લિમ સમુદાયની મસ્જિદ આવી છે અને તે રસ્તામાં ઘણી જ અડચણ રૂપ હતી પણ બંને અધિકારો તેને માન ભેર હટાવવા માંગતા હતા. પણ ઉલટાનું મસ્જિદના મૌલા દ્વારા જ સામેથી સહકાર આપવામાં આવ્યો અને મસ્જિદને શાંતિથી હટાવવામાં આવી. ધાર્મિક સ્થાનોને પણ એટલું જ માન અને આદર મળ્યું છે અને જે રીતે ખોટાં બાંધકામ થયાં હતા એમને પૂરતો દંડ અને ડિમોલિશન મળ્યું છે.
આજે 20 વર્ષ પછી હું અમદાવાદમાં છું અને ત્યારે ફરી બે જાંબાઝ ઓફિસર, AMC કમિશ્નર વિજય નેહરા અને પોલીસ કમિશ્નર એ કે સિંહ દ્વારા શહેરના ટ્રાફિકની સમસ્યા માટે મોટું ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જે આગામી સમયમાં શહેર માટે ખરેખર યાદગાર અને લાભદાયક બનશે.(જો તેમની બદલી ના થઈ તો ?) કોઈ પણ શહેરના નિર્માણ માટે યોગ્ય પ્લાનિંગ અને નિષ્ઠાવાન અધિકારીઓની જરૂર હોય છે. અને અમદાવાદ જેવાં મેટ્રો સિટીને બંને એક સાથે મળ્યા છે. જેનો લાભ શહેરના લોકોને જ મળવાનો છે. આશા રાખીએ કે રાજકારણને બાજુમાં રાખી શહેરના વિકાસને નવી દિશા મળે જેથી અમદાવાદ અદ્ભૂત બની રહે....
સુરતને ખુબસુરત બનાવવાની ખોટી દોડ
આજે અમદાવાદ શહેરમાં દબાણ હટાવવાનું કામ જે ઝડપથી અને જે પ્લાનિંગ સાથે થઈ રહ્યું છે તે જોતા આગામી સમયમાં લોકો અમદાવાદની નેહરા અને સિંહ ની જોડીને ચોક્કસ યાદ કરશે. શહેરના લગભગ તમામ સ્થાનો પર દબાણ હટાવવાની ઝુંબેશ પુર જોશથી ચાલી રહી છે. તમામ શોપિંગ કોમ્પ્લેક્ષની બહાર યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા માટેની સૂચના આપવામાં આવી રહી છે. તો amc તરફથી હવે નવા મલ્ટી લેયર પાર્કિંગ ઉભા કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે.(જે સુરતમાં ઘણાં અંશે સુપર હિટ રહ્યું છે)
આ દબાણ હટાવવાની ક્રિયા વચ્ચે સુરત અવાનું થયું ત્યારે મારી નજર શહેરમાં બ્યુટીફીકેશનના નામે નવી બનવેલી ફૂટપાથ પર પડી. સુરતમાં અડાજણ, ઘોડદોડ રોડ, વરાછા, પીપલોદ સહિત ઘણાં સ્થાનો પર બસ સ્ટેશનની સાથે નવી ફૂટપાથ બનાવવમાં આવી રહી છે. જો કે સુરતવાસીઓને યાદ જ હશે કે અગાઉ smc, સુરત માનપા દ્વારા ઝીરો ફૂટપાથ હેઠળ જાહેર માર્ગો પરથી તેને તોડવામાં આવી હતી અને હવે બ્યુટીફીકેશનના નામ પર નવી બનાવવામાં આવી રહી છે. સરસ સુરતીઓ એમ પણ ટેક્સ ભરવામાં અવ્વલ જ છે તો છો ને પૈસાનો વ્યય થતો.
ચાલો સ્માર્ટ સીટી માટે એ જરૂરી હશે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડે તે સ્થિતિમાં કેટલું યોગ્ય છે તે આગામી સમયમાં ખબર પડશે જ. અમુક સ્થાનો પર રસ્તા નાના છે અને ત્યાં આ પ્રકારની ફૂટપાથ ક્યાં પ્રકારની દુરદર્શિતા છે તે સમજાતી નથી. જો પ્રસાશન એમ માનતું હોય કે ટ્રાફિક ન થાય તો એ તેમને આગામી સમયમાં ચોક્કસ ખબર પડશે જ. કેમકે જે સરદાર બ્રિજને 15 વર્ષ પહેલાં નવો બનવવાની વાત કરવમાં આવી હતી ત્યાં આજે વધારેના પંખીયા જોડવામાં આવી રહ્યા છે અને તેમાં પણ સ્લેબમાં ગાબડાં પાડવાનો દોર ચાલું જ છે.
અમદાવાદ જેવાં જુના શહેરમાં જયારે BRTS બસની સેવા શરૂ થઈ ત્યારે ત્યાંના નેરો રોડના કારણે લોકોનો ઘણો વિરોધ હતો પણ સમય જતાં લોકોએ BRTS નો વપરાશ વધુ કર્યો અને હાલમાં હવે મેટ્રો આવી રહી છે ત્યારે તે પહેલાંજ શહેરમાંથી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે.
હવે તો સુરતના લોકો એ જ તંત્રને બ્યુટીફીકેશનના નામે કોની સુંદરતા વધી રહી છે તે સવાલ કરવો જોઈએ. બાકી આગામી સમયમાં ફરી સુરતમાં પણ દબાણ હટાવવો ઝુંબેશ શરૂ થાય તો નવાઈ નહીં...