Sunday, March 3, 2019

શું દેશ બદલાઈ ગયો છે ?

છેલ્લા થોડાં દિવસથી ઓફીસ અને આસપાસનો માહોલ જોયા પછી અવશ્ય એવું કહી શકાય કે આ દેશ બદલાઈ રહ્યો છે.
પણ શું ખરેખર તે યોગ્ય બદલાવની દિશામાં આગળ વધી રહ્યો છે?

આ જાણવા કેટલાક લોકો સાથે મુલાકાત અને વાતચીત કરી...

એક લોકોનો પક્ષ એવો છે કે હા દેશ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. કેમકે લોકો આજે ધર્મ જાત વર્ણ વર્ગ તમામ વાત ભૂલીને એક જ દિશમાં રાષ્ટ્ર એકતામાં જોડાઈને વાત કરી રહ્યા છે. વાત તો સાચો છે... પણ મારો સવાલ તેમને પણ એજ હતો કે ક્યાં સુધી ?

જ્યારે બીજા લોકોનું માનવું છે કે દેશ દિશાહીન રીતે આગળ વધી રહ્યો છે. લોકોને જે ખોટા ચશ્માં મીડિયા દ્વારા પહેરવામાં આવી રહ્યા છે તે જ તે જોઈ રહ્યું છે. એવું પણ કહ્યું કે, જોશ without હોશ. લોકો પોતાની સામાન્ય જરૂરિયાતને ભૂલીને દેશભક્તિમાં લાગી ગયા છે. જે અગાઉ 2011 માં અન્ના હઝારેના આંદોલન સમયે થયું હતું... પણ મારો સવાલ તેમને પણ એજ હતો કે શું તેના દ્વારા પણ દેશમાં બદલાવ તો આવ્યો ખરોને ?
-----***-----
કેમ આ દેશને હંમેશા જાગૃત કરવા માટે એક ઝટકાની જરૂરત હોય છે? દેશ આપણો છે અને દેશવાસીઓ પણ આપણા છે તો કેમ એકજૂથ થઈ ન રહી શકીએ ?
શા માટે રાજકારણીઓ ના માત્ર હાથા બનીને રહીએ ?...
.
જવાબ કદાચ આઝાદીના 70 વર્ષ પછી પણ મીણબત્તી લઈને રસ્તા પર નીકળવાથી જ મળતો હોય તો તે મારા માટે યોગ્ય નથી.

તમારું શું માનવું છે?

No comments:

Post a Comment