Monday, August 20, 2018

God's own country ની દુર્દશા માટે જવાબદાર કોણ?

કેરળમાં પૂરે વિનાશ વેર્યો છે. ઈશ્વરની ભૂમિ પર માણસ લાચાર બન્યો છે. આ વિકરાળ વિનાશમાં ઘણાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હજારો કરડોની સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. સદીની સૌથી વિનાશક પૂરથી સમગ્ર દેશમાં ભયનો માહોલ છે. (અગાઉની કેદારનાથની ભૂલથી પણ શીખ લીધી નથી)આ ભયાનક પૂર પછી એક સવાલ થઇ રહ્યો છે કે શું આ વાસ્તવમાં કુદરતી હોનારત છે કે પછી માનવી દ્વારા કરવામાં આવેલ કૃત્ય છે.

8 અને 9 ઓગસ્ટથી શરૂ થયેલા વરસાદના કારણે ભયાનક પૂરની સ્થિતિ ઉભી થઇ છે. ભારે વરસાદની સાથે ભૂસ્ખલથી વાહનવ્યવહારમાં પણ મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. આ અંગે વેસ્ટર્ન ઘાટ એક્સપર્ટ ઈકોલોજી પેનલના રિપોર્ટ (WGEEP) અનુસાર, અહીંની ભૌગોલિક સ્થિતિને જોતા એવું સ્પષ્ટ રીતે જાણવા મળે છે કે પરિસ્થિતિ ઘણી જ સંવેદનશીલ છે. અહીંના ક્ષેત્રમાં વિસ્મતલ વિસ્તારના કારણે વરસાદ થી પણ વધુ નુકસાન થયું છે. જો કે રાજ્ય સરકાર તરફથી આ બાબત પર સહેજ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. જ્યાં પણ રાજકારણ જ જવાબદાર છે.

અગાઉ જે રિપોર્ટ આવ્યો હતો તેના માટે ઇડ્ડુકી અને થમારાસેરી બંને વિસ્તાર માટે UDF સરકારે તો હદ કરી હતી કે તેને એક પ્રસ્તાવ લાવીને આ રિપોર્ટને જ ખોટો સાબિત કર્યો હતો, અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, આ સામાન્ય લોકોના વિરોધમાં છે.

છેલ્લા 10 દિવસોમાં વરસાદના કારણે જે સ્થિતિ થઈ છે તેમાં સૌથી વધુ નુકસાન વાયાંડ અને ઇડ્ડુકીમાં જ થયું છે. મુન્નાર, થમારાસેરી, વાઇથિરી અને તિરૂવામબડી  પણ આફત ઓછી નથી. WGEEP તરફથી આ વિસ્તારોને પરિસ્થિતિના હિસાબે સૌથી સંવેદનશીલ ગણાવ્યા છે. જેમાં આગામી સમયમાં વધુ નુકસાન થઇ શકે છે.

આ રિપોર્ટ અનુસાર, કેરળના સૌથી વધુ ગેરકાયદેસર ઇમારતો ઝોન -1માં આવેલ છે. જ્યાં સૌથી વધુ 15 તાલુકા છે. જ્યારે ઝોન-2માં 2 અને ઝોન-3માં 8 તાલુકા છે. ઇડ્ડુકી ઝોન-1માં આવે છે અને ત્યાં સૌથી વધુ ગેરકાયદેસરે ઇમારાત આવેલ છે. વાયાંડના મુન્નારમાં પણ ઘણાં રિસોર્ટ છે અને ત્યાં મેઘ તાંડવના કારણે ઘણું નુકસાન થયું છે.

હવે સ્થાનિક લોકોએ સમજવાની જરૂર છે કે, WGEEPનો રિપોર્ટ વિકાસના વિરોધમાં નથી અને જે અગાઉ કોંગ્રેસ નેતા અને ચર્ચો તરફથી રજુઆત કરવામાં આવી હતી તે બકવાસ જ છે. હવે ઝોન-2 અને ઝોન-3માં નવા વિકાસના કામો માટે પરવાનગી આપવામાં આવી રહી છે અને તેના કારણે સ્થિતિ વધુ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે.

જો ભૌગોલિક પરિસ્થિતિને સમજવામાં આવે તો, ઝોન-1માં જંગલ વિસ્તાર છે અને તે વેસ્ટર્ન ઘાટથી ઘણો નજીક આવેલો છે. અહીંની જમીન જંગલિય વિસ્તાર હોવાના કારણે વધુ ઉપયોગમાં આવી શકે તેમ નથી. અને ત્યાં ગામ વસાવવામાં આવ્યા છે અને લોકોને રહેવાની પરવાનગી આપવામાં આવી છે અને અહીં નવા રસ્તા અને સામાન્ય લોકોને સુવિધાઓની પરવાનગી આપવામાં આવી છે. જેનું પરિણામ હાલમાં જોવા મળી રહ્યું છે.

ઝોન-2માં આવેલ હોટલ અને રિસોર્ટમાં ફેરફાર કરવા માટે પરવાનગી આપવામાં આવી છે. જ્યારે ઝોન-3માં ખેતી સિવાયની પ્રવૃતિ માટે પરવાનગી આપવામાં આવી છે. જેના માટે સામાજિક અને આર્થિક બાબાતોને ધ્યાનમાં લેવામાં આવે છે. WGEEP પેનલના હેડ તરફથી કહેવામાં આવ્યું છેકે, આપણે એ સમજવાની જરૂરત છે કે, વેસ્ટર્ન ઘાટની આસપાસ એવો બફર ઝોન બનાવવો જોઇએ જે સુરક્ષિત હોય. જો તેને સુરક્ષિત કરવામાં ન આવશે તો ભૂસ્ખલન અને પૂરાના કારણે વધુ લોકોનો ભોગ લેવાતો રહેશે.

એટલું જ નહીં રાજ્ય સરકારે વિકાસ માટે આ બે જિલ્લામાં 1700 જેટલી ગેરકાયદેસર ગ્રેનાઇટક્રસિંગ યુનિટસને પરવાનગી આપી છે. પર્યાવરણ વિશેષજ્ઞોનું માનવું છે કે જળવાયું પરિવર્તનથી થનારી મુશ્કેલીઓ, કમોસમી વરસાદ અને વાદળ ફાટવાની ઘટના રોકવાના બદલે રાજ્ય સરકારે ભૂમિ ખન્નની પરવાનગી આપીને મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. તેમજ સ્થાનિક નિવાસોના 50 મીટરના વિસ્તારોમાં પણ ખન્ન માટે પરવાનગી આપી છે. જે જોતાં ભૂસખ્લન વિશેષ જોવા મળી રહ્યું છે.

જો આ પ્રમાણે જ સરકાર દ્વારા કુદરત સાથે ચેળા કરવામાં આવતાં રહેશે તો આગામી સમયમાં કુદરતનો તાંડવ વધુને વધુ વિકરાળ બનતો જશે. હવે પરિસ્થિતિના ઉદાહરણ સ્વરૂપે લગભગ તમામ સ્થાનો પર વરસાદની વિસમતા જોવા મળી રહી છે જેના પરિણામે કુદરતની કદર કરતાં શીખીએ તો ઘણું...

No comments:

Post a Comment